ભાવનગર નાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દ્વારા તા.૨૧ જુલાઈ નાં રોજ શ્રી એસ. કે. વિદ્યામંદીરનાં ૭૫ વિધાર્થીઓ સાથે પાંચમી આપત્તિ નિવારણ અને ફર્સ્ટ એડ તાલીમ યોજાઈ. શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી કરણભાઈ ઠાકોર દવારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા અપાઈ તથા વિધાર્થીઓને સંસ્થા તરફથી બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામા આવેલ. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી બ્રિજરાજભાઈ ડોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણા એ કર્યું હતુ.
એસ. કે. વિદ્યામંદીરનાં ૭૫ વિધાર્થીઓ સાથે પાંચમી આપત્તિ નિવારણ અને ફર્સ્ટ એડ તાલીમ યોજાઈ


















Recent Comments