ગુજરાત એસ.ટી. નિગમ રાજયના છેવાડાના માનવીને નહી નફો નહી નુકશાનના ધોરણે સસ્તી,સારી,અને સલામત પરીવહન સેવા પુરી પાડે છે, રાજય સરકારનું જાહેર સેવા માટેનું મોટું સાહસ એસ.ટી. નિગમ ગણાય છે, અને તેના કર્મચારીઓ રાત દિવસની ચિંતા કર્યા વગર રાજયના લોકોની સેવામાં સતત ખડેપગે રહીને પોતાની ફરજ બજવે છે, જેની સામે ગુજરાત સરકાર આકરૂ વલણ દર્શાવીને નિગમના વર્ષો જુના પડતર પ્રશ્રોનો ઉકેલ લાવતા નથી, એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્રો જેવા કે, મોઘવારી ભથ્થુ, પગારની વિસંગતા, ૭મું પગારપંચ, એકસ ગ્રેસ્યા બોનસ, ઓવર ટાઈમ,સી.સી.સી. પ્રમાણપત્ર, એરીયર્સ, વગેરે જેવા પ્રશ્રોનું તાત્કાલીક નિરાકરણ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.
Recent Comments