અમરેલી

ઓછું મતદાન ધરાવતા ગામોમાં ચૂંટણી તંત્ર દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં સરેરાશ ઓછું મતદાન થતું હોવાને લીધે મતદાન ટકાવારી ઓછી ધરાવતા હોય તેવા  જુદાં-જુદાં ગામોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ગામના મતદારો દ્વારા “હું મતદાન કરીશ અને મારા પરિવારજનો તથા મારા ગ્રામજનોને અચૂક મતદાન કરાવીશ” તેવા શપથ ગ્રહણ કર્યા હતા. મતદારો મતદાન માટેના જાગૃત્તિ કાર્યક્રમમાં જોડાઈ વધુમાં વધુ મતદાન કરી મજબૂત લોકશાહીમાં તે પોતાની ભાગીદારી નોંધાવશે તેવી ખાતરી આપી હતી.

Related Posts