ઔદિચ્ય બ્રહ્મ સમાજ-સાવરકુંડલા દ્વારા પ્રતિ વર્ષ સમાજના ધો. ૧ થી લઇ માસ્ટર ડીગ્રી સુધીના તમામ વિદ્યાર્થીઓેને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત તા.૧૯/૦૮/૨૦૨૪ને સોમવાર, શ્રાવણ સુદ પૂનમ (બળેવ)ના પવિત્ર દિવસે સાવરકુંડલા મુકામે પ્ર. લ.પંડ્યા ઔદીચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. સાથોસાથ સમગ્ર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજ ની જ્ઞાતિ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન પ્ર. લ.પંડ્યા ઔદીચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન સાવરકુંડલાના વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી.
ઔદિચ્ય બ્રહ્મ સમાજ-સાવરકુંડલા દ્વારા સરસ્વતી સન્માન સમારોહતેમજ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન

Recent Comments