ભાવનગર એ કલા અને સાહિત્ય સર્જકો તથા ભાવકો માટે આગવી ઓળખ ધરાવતું નગર છે. તાજેતરમાં હિન્દી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા હિન્દી ભાષા સાહિત્યનાં વર્ષ ૨૦૧૮ના જુદા જુદા સાહિત્ય પ્રકારોના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો જાહેર થયાં છે. તેમાં ભાવનગરના સર્જક અજય ઓઝાના હિંદી વાર્તા સંગ્રહ ‘ કિરદાર’ ને હિન્દી કહાની વિભાગ વર્ષ 2018નું રૂપિયા 5000/- નું તૃતીય ક્રમાંકનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક મળેલ. સર્જક અજય ઓઝા લિખિત ચાર ગુજરાતી વાર્તા સંગ્રહો આવી ગયેલ છે. પ્રસ્તુત પુરસ્કૃત હિન્દી સંગ્રહ ઉપરાંત શ્રી અજય ઓઝાના ‘ સિતારો કી ધૂપ ‘ અને ‘ મંથન ‘ નામે બે હિંદી કહાની સંગ્રહ આવેલ છે. જેમાં તેઓનાં હિન્દી સંગ્રહ’ મંથન ‘ને પણ અગાઉ અકાદમીનું ઇનામ મળેલ છે. પ્રસ્તુત પુરસ્કાર માટે ભાવનગર ગદ્યસભાએ અજય ઓઝાને અભિનંદન પાઠવેલ.
કલા અને સાહિત્ય નગરી ભાવનગરના વાર્તાકાર અજય ઓઝાને મળ્યું હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગરનું પુરસ્કાર

Recent Comments