અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કોતરપુરમાંથી અલગ-અલગ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં જતી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ખોખરા પાસે લીકેજ થતા આજે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે મણીનગર, નરોડા, ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા, રાજપુર, ગોમતીપુર, રખિયાલ, સીટીએમ, રામોલ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પહોંચી શકશે નહીં. આ વિસ્તારોમાં આજે પાણીકાપ કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે જે રીતે પાણી ઉપલબ્ધ હશે એ મુજબ આપવામાં આવશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતાએ જણાવ્યું છે.
વોટર પ્રોજેકટ અંતર્ગત શહેરના પશ્ચિમઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણી પુરવઠો પુરો પાડતી કોતરપુર વોટર વર્કસની ૧૬૦૦ મીમી વ્યાસની ઈસ્ટર્ન ટ્રંકમેઈન લાઈનમાં ખોખરા અનુપમ સિનેમા પાસે થયેલા લીકેજ રીપેર કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી ૧૬૦૦ મીમી વ્યાસની આ ઇસ્ટર્ન ટ્રેન્ક મેઇનલાઈન બંધ કરવાની હોવાથી સમગ્ર પૂર્વ વિસ્તારમાં આવતાં ૪ ઝોનમાં નારોલ, ઇસનપુર, વટવા, ગોમતીપુર, ખોખરા, કાંકરિયા, બહેરામપુરા, નિકોલ, ઓઢવ, નરોડા સહિતના જુદા જુદા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પરથી આજે સાંજનો પાણીનો સપ્લાય આપી શકાશે નહી. બીજા દિવસે એટલે કે ૫ ફેબ્રુઆરીના રોજ સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ પાણીના જથ્થાની મર્યાદામાં આપવામાં આવશે.
Recent Comments