ગુજરાત

ખોડલધામ સંસ્થાન નરેશભાઈ પટેલ ની અધ્યક્ષતા માં નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ અને આગામી પ્રકલ્પો અંતર્ગત મીટીંગ યોજાય

કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આદરણીય ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આગામી શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- ૨૦૨૩ અને ટ્રસ્ટના આગામી પ્રકલ્પોને લઈને મહત્વની મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ/સહ કન્વીનરશ્રીઓ, મહિલા કન્વીનરશ્રીઓ/સહ કન્વીનરશ્રીઓ, વિદ્યાર્થી સમિતિના કન્વીનરશ્રીઓ/સહકન્વીનરશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી નરેશભાઈ પટેલે આગામી નવરાત્રિ મહોત્સવમાં શ્રી ખોડલધામ સમિતિઓ દ્વારા વિવિધ સ્થળોએ યોજાનાર નવરાત્રિના આયોજનને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આગામી પ્રકલ્પોને લઈને વાતચીત કરી હતી.

Related Posts