કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આદરણીય ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આગામી શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- ૨૦૨૩ અને ટ્રસ્ટના આગામી પ્રકલ્પોને લઈને મહત્વની મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ/સહ કન્વીનરશ્રીઓ, મહિલા કન્વીનરશ્રીઓ/સહ કન્વીનરશ્રીઓ, વિદ્યાર્થી સમિતિના કન્વીનરશ્રીઓ/સહકન્વીનરશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી નરેશભાઈ પટેલે આગામી નવરાત્રિ મહોત્સવમાં શ્રી ખોડલધામ સમિતિઓ દ્વારા વિવિધ સ્થળોએ યોજાનાર નવરાત્રિના આયોજનને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આગામી પ્રકલ્પોને લઈને વાતચીત કરી હતી.
ખોડલધામ સંસ્થાન નરેશભાઈ પટેલ ની અધ્યક્ષતા માં નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ અને આગામી પ્રકલ્પો અંતર્ગત મીટીંગ યોજાય

Recent Comments