સાવરકુંડલા માં સદ્દભાવના ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ માં મહાઆરતી માં જનમેદની ઉમટી….સાવરકુંડલા ખાતે ગણપતિ દાદાની અસીમ કૃપાથી થી પ.પૂ ઉષામૈયા(શિવ દરબાર આશ્રમ કાનાતળાવ) ના સાનિધ્યમાં માં યોજાયેલ ગણપતિ મહોત્સવ માં સંતો મહંતો ની ઉપસ્થિતિ માં મહા આરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. મહાઆરતી માં હજારોની સંખ્યામાં બહેનો દ્વારા અલગ અલગ આરતી ની થાળીઓ ઉત્સાહ પૂર્વક શણગારવા માં આવી હતી. આરતી બાદ પ્રસાદ વિતરણ કરી ને ગણપતિ દાદા ની વિસર્જન શોભાયાત્રા શહેરનાં માર્ગો પર નીકળી હતી. મોટી સંખ્યામાં ભક્તજનો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ગણપતી બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ… ના નાદ સાથે મહા આરતી બાદ સદભાવના ગ્રુપના ગણપતિ દાદા ની વિસર્જન શોભાયાત્રા નાસિક ઢોલ ના સથવારે શહેરના માર્ગો પર નીકળી

Recent Comments