અમરેલી

ગાયત્રી મંદિર ખાતે સ્વ વિનંતીરાય ગિરધરલાલ તન્ના ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ વિનંતીરાય ગિરધરલાલ તન્ના ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ આ સેવાયજ્ઞ નો લાભ મેળવ્યો હતો આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ લઈ જવાયા હતા મોતિયા ના દર્દી નારાયણો ને રહેવા જમવા લાવવા લઈ જવા અલ્પહાર આંખ ના ટીપાં દવા ચશ્માં સાથે સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે ની સેવા આપવા માં આવશે 

Related Posts