અમરેલી

ગીર પૂર્વ વન વિભાગ તુલસીશ્યામ રેન્જમાં કાળજાળ ગરમીમાં પાણીના કુદરતી સ્ત્રોત ખુંટી જતા વન વિભાગદ્વારા વન્ય પ્રાણી પર્યાવાસમાં  ૬૦ જેટલા સ્થળે કુત્રિમ પાણીના પોઇન્ટ બનાવ્યા

ગીર પૂર્વ વન વિભાગમાં આવતી તુલસીશ્યામ રેન્જ સહિતની તમામ રેન્જમાં કાળજાળ ગરમીમાં પાણીના કુદરતી સ્ત્રોત ખતમ થતાં વન વિભાગે વન્ય પ્રાણી વિસ્તારમાં સોલાર પંપ, પવન ચક્કી, તેમજ ટેન્કર, દ્વારા કુત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરી વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉભી કરતા પીવાના પાણીની તંગીમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે ભટકવું પડતું નથી એમ ભીખુભાઇ બાટાવાળાએ એક યાદીમાં જણાવ્યું હતું.

Related Posts