રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં શરૂ થયેલી મેઘસવારીએ સાત કલાકમાં ૨૮૦ મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૨૫ મિમી (૯ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કે લીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં મેઘરાજાએ પધરામણી કર્યા બાદ અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું.
આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યસવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તાર-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેથલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાદર સહિત નીચાણવાળા વિસ્તા રોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કે લીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્યર ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્યશ માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેનલીમાં મુકાયા હતા.
કોડીનાર પંથકમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં સાતેક કલાકમાં ૯ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્નક જેવી સિર તિ અનેક જગ્યાકએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાીઓ અને નીચાણવાળા વિસ્તાયરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્યા વિસ્તારરમાં અનેક જગ્યાંએ જળમગ્નત જેવી પરિસિ્ે પતિ જાેવા મળી રહી છે. તો ગ્રામ્યર વિસ્તાારોને તાલુકા મથકોએ જાેડતા માર્ગો પર નદી- વોકળાઓનાં પાણી ફરી વળ્યાને પગલે વાહનવ્યગવહાર બંધ થયો છે. આજના ભારે વરસાદને પગલે નિર્માણાધીન વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર મોરડિયા અને પેઢાવાડા ગામની વચ્ચેી પુલનું કામ ચાલી રહ્યું હોવાથી કાઢવામાં આવેલું ડાઇવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.
આ ધસમસતા પૂરના પાણીમાં ડાઇવર્ઝન ધોવાઇ ગયું હતું, જેના પૂરથી જાેખમી રીતે પસાર થઇ રહેલાં મોટાં વાહનો પૈકી ટ્રક ફસાઇ ગઈ હોવાનાં દૃશ્યો સામે આવ્યાંર હતાં. આમ, હાઇવેના પુલનું કામ સમયસર પૂર્ણ ન કરવાની નેશનલ હાઇવેની ઘોર બેદરકારીનો ભોગ વાહનચાલકોને સહન કરવાનો વારો આવ્યોે હતો. આ ડાઇવર્ઝનમાંથી જાેખમી રીતે રાહદારી લોકો જવા મજબૂર બન્યાન હતા. આ ડાઇવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વેરાવળ-કોડીનાર વચ્ચેુનો વાહનવ્ય્વહાર ખોરવાઇ જવાની સાથે બન્નેક તરફ વાહનોની લાઇનો લાગી હતી.ગીર સોમનાથ જિલ્લાનમાં આભ ફાટ્યું છે. જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું.
એમાં સુત્રાપાડામાં સાત કલાકમાં ૧૨ ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં ૯ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સિ્ે કતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યકવહાર ખોરવાઇ જતાં બંન્નેા તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્યર વિસ્તાયરના રસ્તાંઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.
Recent Comments