ગુજરાત

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ હીરાના કારોબાર સાથે જાેડાયેલા હતા. તેમને ત્રણ દિવસથી ૈંઝ્રેંમાં દાખલ રાખવામાં આવ્યા હતા. ઘણા સમયથી રમેશભાઈ સંઘવી બીમાર રહેતા હતા. કોરોનાકાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવાયા હતા.

જાે કે છેલ્લા ત્રણ દિવસથી સુરતની યુનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. રમેશભાઈ સંઘવી અનેક સેવાભાવી કાર્યો સાથે સંકળાયેલા હતા. તેઓ હીરાના વ્યવસાય સાથે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જાેડાયેલા હતા. જૈન સમાજનમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની આગવી ઓળખ હતી. સુરતના ઉમરામાં આજે સાંજે ૫ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Related Posts