મહુવા તાલુકાના કોટિયા ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ ગુરુ દત્તાત્રેય આશ્રમ (ગોધામ કોટિયા) બાવવાળા ડુંગર ખાતે આગામી શ્રાવણ માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.શ્રવણ માસના ચારે ચાર સોમવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહામૃત્યુંજય મંત્રના સવા લાખ જાપ વિદ્વાન ભૂદેવો દ્વારા થશે.વૈદિક પરંપરા મુજબ વાંસથી બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં હોમ-યજ્ઞ થશે.
તેમ જ દરરોજ પૂજન,પાર્થિવ પૂજા, અભિષેક, ભજન-ભોજન,સત્સંગ નો લાભ મળશે.બ્રહ્મલીન મોહનગીરીબાપુ ના સમાધિસ્થાન ખાતેના આ આયોજન માં દિવ્ય સત્સંગનો લાભ લેવા જુના અખાડાના થાણાપતિ લહેરગીરી બાપુ દ્વારા સૌને ભજન, ભોજન અને સત્સંગનો લાભ લેવા જણાવાયું છે.અહીં શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.1 ના રોજ સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી, તારીખ 8 ને સોમવારના રોજ જીગ્નેશ કવિરાજ, બીરજુ બારોટ, તા.15 ત્રીજા સોમવારે નારાયણ ઠાકર, દીપક હરીયાણી, પિયુષ મિસ્ત્રી તેમજ તા. 22 ને ચોથા સોમવારે વિજય ગઢવી, ગોપાલ સાધુ,કીર્તિ બારોટના લોક ડાયરા-ભજન અને સત્સંગ નો લાભ મળશે. જ્યારે દર સોમવારના રાત્રિ કાર્યક્રમનું સંકલન લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી સંભાળશે.
Recent Comments