રાજ્યમા ગ્રાન્ટેડ કોલેજ હવે ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે એટલે કે ગ્રાન્ટેડ કોલેજાેનું ખાનગીકરણ કરવામાં આવશે.આ ર્નિણય સામે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સી.યુ.શાહ કોલેજમાં અધ્યાપકો દ્વારા કાળી પટ્ટી લગાવી ખાનગીકરણ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પંકજ શ્રીમાળીએ જણાવ્યું હતું કે અનેક ગ્રાન્ટેડ કોલેજ ખાનગી યુનિવર્સિટીના સોંપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.આ ર્નિણય ખોટો છે.ર્નિણયથી પ્રોફેસર,વિદ્યાર્થીઓનો અને વાલીઓને નુકસાન થશે.ખાનગીકરણના કારણે કોલેજનો સરકારી રીતે ઉપયોગ નહીં થઈ શકે. કોલેજનું સંચાલન ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે જેથી વિદ્યાર્થીઓને જે કોર્ષ ૧૮૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીમાં ભણાવવામાં આવે છે તે કોર્ષ માટે પણ હવે ૫૦-૫૫ હાજર ફી ખર્ચવી પડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના કારણે અધ્યાપકોને મળતા પેન્શન અને અન્ય લાભ બંધ થશે. ગ્રાન્ટેડ કોલેજમાં જે જાતી આધારિત પ્રવેશ આપવામાં આવે છે તે પણ નહિ અપાય. વિદ્યાર્થિનીઓની ફી લેવામાં આવતી નથી તે ફી પણ લેવામાં આવશે.આમ ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીઓને સોંપવામાં આવશે તો સરકારનો બોજ ઘટશે પરંતુ વિદ્યાર્થીઓને બોજ વધશે.
Recent Comments