ગુજરાત સરકાર દ્વાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઈ રહી છે ત્યારે ખેડૂત ખાતેદાર દીઠ ૫૦ મણ ચણાની ખરીદી કરાઈ રહી છે, ખેડુત ખાતેદાર દીઠ ૫૦ મણની જગ્યાએ ૧૦૦ મણ ચણાની ખરીદી કરવામા આવે તેવી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી અતુલભાઈ કાનાણીએ કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ સાહેબને લેખીતમા રજુઆત કરેલ છે, આ વર્ષે ધારી તાલુકામા ચણાના પાકનું વાવેતર મોટા પ્રમાણમા થયેલ છે, ત્યારે ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા નાણા મળી રહે તેવા લક્ષ સાથે ગુજરાત સરકાર ચણાના પાકની ટેકાના ભાવે ખરીદીમા ખાતેદાર દીઠ ૧૦૦ મણ જેટલા ચણાની ખરીદી કરે તેવી ધારી તાલુકાના ખેડૂતો વતી ભાજપ અગ્રણી અને પત્રકાર શ્રી અતુલભાઈ કાનાણીએ કૃષિ મંત્રીશ્રીને લેખીત રજુઆત કરેલ છે
ચણાની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા ૧૦૦ મણ કરવા ભાજપ અગ્રણી અતુલ કાનાણીની માંગણી

Recent Comments