હળદર અને એલોવેરા મૃત ત્વચાના કોષોને સાફ કરીને ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે. બંનેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને ઔષધીય અણમોલ ગુણધર્મો છે. ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. એલોવેરા અને હળદરના અનેક ફાયદાઓ છે એ વિશે જાણો. ગ્લોઇંગ સ્કિન માટે- એલોવેરા અને હળદર ચહેરા પર કુદરતી ચમક લાવવાનું કામ કરે છે અને આ બંનેને લગાવવાથી ચહેરો ચમકવા લાગે છે. આ બંનેની પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ, 1/2 ચમચી મધ, 1/4 ચમચી હળદર મિક્સ કરો. ત્યાર બાદ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. આવી સ્થિતિમાં, જો તમારી ત્વચા તૈલી છે, તો તમે મધને બદલે દહીંનો ઉપયોગ કરી શકો છો. હેલ્થ માટે પણ ઉપયોગી છે. જો તમે જો તમે ટાઈપ ટુ ડાયાબિટીઝથી પીડિત છો તો એમાં એલોવેરા જેલ તમારા માટે ખુબ લાભદાયક થઇ શકે છે. એલોવેરા જેલના સેવનથી બ્લડ સુગર ઓછું રહે છે. ડોક્ટર પાસે પહેલા સલાહ લેવી એ પહેલા જરૂરી છે. ડોકટરની સલાહ મુજબ એલોવેરાના સેવનથી બ્લડ સુગર જરૂરતથી વધુ ઓછું થઇ શકે છે. જે ક્યારેક શરીર માટે ખરતરનાક સાબિત થઇ શકે છે. જેથી તેનું સેવન ડોક્ટર ની સલાહ મુજબ કરો
ચહેરો જ નહિ મોટી બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ છે હળદર અને એલોવેરા, આ રીતે કરો ઉપયોગ

Recent Comments