ગુજરાત

ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૩૦ કેસ સામે આવ્યા

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં ૧૩૦ કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાની ઝપેટમાં આવતા કુલ ૫૨ બાળકોના મોત થયા છે. આ વાયરસને કારણે સૌથી વધુ પંચમહાલમાં ૬ બાળકોના મોત થયા છે. જ્યારે ૪૦ બાળ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ૩૮ બાળકોહજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ચાંદીપુરાના કારણે મૃત્યુ થયા એવું નથી, પરંતુ એન્સેફિલિટિસના કારણે મૃત્યુ થયા તેવું વધારે છે ! તંત્ર દ્વારા ૫.૬૦ લાખ ઘરોમાં મેલેથિયોન પાઉડરનો છંટકાવ કરાયો છે.

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે આખા રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગરના ૫ તાલુકામાં ૫ કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. ત્યારે, આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકારની ટીમો દ્વારા સર્વે અને તપાસ હાથ ધરાઇ છે. ત્યારે, ગ્રામીણ વિસ્તારોમાંથી સેન્ડ ફ્‌લાય માખીના નમૂના પણ મળી આવ્યા છે. આવા નમૂના કાચા મકાનોમાંથી મળી આવ્યા છે. જો તકેદારી રાખવામાં નહીં આવે તો, આગામી સમયમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ વધુ ફેલાય તેવી શક્યતા છે. મહત્વનું છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ બાળકોને ભોગ બનાવે છે. ત્યારે, તંત્રએ વિવિધ વિસ્તારોમાં જઇને ફોગિંગની કામગીરી પણ હાથ ધરી છે અને લોકોને વાયરસ અંગે માર્ગદર્શન અપાઇ રહ્યું છે.

Related Posts