અમરેલી

ચાણક્ય ટ્યુશન કલાસીસ દ્વવારા ધોરણ ૧૦, ૧૨ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પરીક્ષાલક્ષી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા શહેરમા આવેલ ચાણક્ય ટ્યુશનનાં ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પરીક્ષાલક્ષી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમા મુખ્ય મહેમાન  પ્રતાપભાઈ ખુમાણ(સન રાઇઝ સ્કૂલ – સાવરકુંડલા ) દ્વારા વિદ્યાર્થીઓને સરળ ભાષામા રસપૂર્વક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ. સાથોસાથ જીવનમાં શિક્ષણનાં મહત્વ વિશે ઉદાહરણ આપી સૌ વિદ્યાર્થીઓને વિશદ સમજ આપી હતી. આ તકે ચેતનભાઈ ગુજરીયા (આચાર્ય કે. કે. હાઈસ્કૂલ -સાવરકુંડલા ),  જ્યંતીભાઈ ખદડિયા (કે. કે. હાઈસ્કૂલ ),  ગોવિંદભાઇ નાગર (ગૃહપતિ મેઘજીભાઈ પેથરાજ છાત્રાલય )  મિન્ટુભાઇ (સ્વામિનારાયણ ગુરુકુળ),  મનીષભાઈ વિંઝુડા,  શૈલેષભાઇ ખીમસુરિયા અને  અમિતભાઇ ચાવડા (અમરત પિયાલા)દ્વારા વિદ્યાર્થીઓને ભયમુક્ત રીતે પરીક્ષા આપી સફળતા મેળવવા વિશે વાત કરી અને કહ્યું હતું કે આ એક ધોરણની પરીક્ષા છે જીવનની નહિ.

ચાણક્ય ટ્યુશન કલાસીસનાં વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ટેન્શન વગરનાં એજ્યુકેશનની અનુભૂતિ આ કલાસીસમાં થાય છે તે વાત પર વિદ્યાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓને કેન્દ્રમા રાખી પરીક્ષાનાં ડર રાખ્યા વગર મુક્ત મને પરીક્ષા આપવાનાં હેતુ સાથે સફળ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામા ચાણક્ય ટ્યુશન કલાસીસનાં સંચાલક  જેસીંગભાઇ જીતિયા, પ્રકાશભાઈ બગડા,  કાર્તિકભાઈ જોશી,  રાહુલભાઈ ગોહિલ,મનોજભાઈ ખીમસુરીયા,  ઝાલાભાઈએ ,  મનસુખભાઈ વાળા તેમજ ચાણક્ય ટ્યુશન કલાસીસનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત કરી હતી.

Related Posts