ગુજરાત

છેલ્લે એક જ રસ્તો હતો કે લોકો પાસે ભીખ માંગીને જે પણ પૈસા આવે એનાથી ઘર ચલાવોપાડિયાદ ગામમાં જઈને તમે ગમે એને પૂછો કે વિજય ચૌહાણ શું કરે છે? તો બધા કહેશે કે ભીખ માંગવાનું કામ કરે છે

તમે કોઈનો હાથ ભાંગી નાંખો તો માણસ આખો ન ભાંગી જાય, કોઈની આંખો છીનવી લો તો કઈ માણસ મરી ના જાય, કોઈને ગમે તેટલું શારીરિક દુઃખ આપો તો પણ માણસ હિંમત્ત ના હારી જાયપ પરંતુ જ્યારે તમે કોઈ માણસનું જમીર, માણસની માણસાઈ કે માણસનો આત્મા છુંદી નાખો તો માણસ જીવતી લાશ બનીને છેલ્લા શ્વાસ સુધી ફરતો રહે છે. આ બધું એટલા માટે લખવું કે કહેવું પડે કારણ કે આજે જે કપલ વિશે વાત કરવી છે એના કિસ્સામાં સભ્ય કહેવાતા આ સમાજે આવું જ વર્તન કર્યું છે. આ કપલને એટલો જાકારો મળ્યો છે કે માણસનો માણસાઈ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. વિજય ચૌહાણ બાબુભાઈ અને મમતા વિજયભાઈ ચૌહાણપ આ કપલ વિશે આજે વાત કરવી છે.

બોટાદથી ૧૫ કિલોમીટર દુર એક ગામ આવેલું છે, આ ગામનું નામ પાડિયાદપ આ ગામમાં જઈને તમે ગમે એને પૂછો કે વિજય ચૌહાણ શું કરે છે? તો બધા કહેશે કે ભીખ માંગવાનું કામ કરે છે. તમને બે મિનિટ માટે મનમાં અનેક વિચારો આવશે, પરંતુ જ્યારે એમના ઘરે જઈને મુલાકાત કરશો તો પરિસ્થિતિ જાેઈને તમારું હૈયું ચીરાઈ જશે. નાનકડું એક ઘર અને ઘરમાં ૩ સભ્યો. પતિ, પત્ની અને એક ૩ વર્ષની કુમળા ફૂલ જેવી દીકરી. વિજયભાઈને એક હાથ નથી, તેમની પીઠ છે ખરી પણ એમાં એટલા મોટા ખાડા છે કે આપણો આખો હાથ અંદર પ્રવેશી શકે.

આજની તારીખે પણ એ એક પડખે સુઈને જ આખી રાત પસાર કરે છે. આટલું સાંભળીને તમારી આંખો પલળી ગઈ હશે, પરંતુ વાત આટલેથી અટકતી નથી. વિજયભાઈની પત્ની મમતા બેનની પણ હાલત એવી જ કપરી છે. બન્ને પગમાં પોલિયો છે. ૫૦ મીટર પણ ચાલી ન શકે. ક્યાંય જવું હોય તો ઘોડીનો સહારો લેવો પડે. એ પણ થોડે સુધી જ ચાલી શકાય. અને આ દંપતીની પરિસ્થિતિથી બિલકુલ અજાણ એમની દીકરી કાવ્યા.. કાવ્યાને તો એ પણ નથી ખબર કે મારા પપ્પા ભીખ માંગીને ઘર ચલાવે છે, મારી ખુશીઓ પુરી કરે છે, મારી દરેક ઈચ્છા પુરી કરે છે.

કદાચ જ્યારે ૩ વર્ષની કાવ્યા મોટી થશે અને પિતાની આવી હાલત વિશે ખબર પડશે ત્યારે આંખમાં આંસુ અને ભારે હૈયું સિવાય બીજું કંઈ જ નહીં બોલી શકે. આટલી વાત સાંભળીને તમારામાંથી મોટાભાગના જ્ઞાનેશ્વરી લોકો વિચારતા હશે કે હાથ અને પગ નથી તો શું થયું? એ કંઈ પણ કામ કરીને ઘર ચલાવી જ શકે છે, એમાં ભીખ માંગવાનું કામ કરવાની ક્યાં જરૂર છે. તો આવા ભણેશ્વરી અને જ્ઞાની લોકોને મમતા અને વિજયની આખી વાત પણ અમે જણાવી દઈએ. વિજયભાઈ ૧૦ ફેલ છે. એટલે કોઈ નાનું મોટું કામ કરીને જ જીવન જીવવાનું હતું. પોતાના વતન પાડિયાદમાં તેઓ કલરકામ અને કડિયાકામ કરતા લોકો સાથે તગારા આપવાનું કામ કરતા.

આજથી ૮ વર્ષ પહેલાની વાત છે કે વિજયભાઈ રોજની જેમ જ પોતાના કામ પર ગયા અને કુદરતને કંઈક કરવું હશે એમ વિજયભાઈની સાથે કામ કરતાં એક બહેનને શોટ લાગ્યો. વિજયભાઈમાં માણસાઈ જીવતી હતી એટલે તેઓ તરત જ પોતાનું કામ પડતું મૂકીને આ બેનને બચાવવા ગયા. એમાં જ વિજયભાઈને પણ શોટ લાગ્યો અને ઘા ખાઈને જમીન પર પછડાયા. જમીન પર પછડાતાની સાથે જ એમનો હાથ, પગ અને પીઠ આખું દાઝી ગયા. તેઓ બેભાન થઈ ગયા. આજુબાજુના લોકોએ તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં અને સારવાર કરવામાં આવી. ૩ દિવસ બાદ વિજયભાઈ ભાનમાં આવ્યા અને ખબર પડી કે મને પણ શોટ લાગ્યો હતો. વાત અહીંથી પુરી નથી થતી.

એ સમયે સતત ૧ મહિનો વિજયભાઈ કંઈ જ ખાઈ કે પી શકતા ન હતા. કારણ કે પીઠના ભાગે એટલા ખાડા પડી ગયા હતા કે કંઈપણ ખાઈ કે પીએ તો તરત જ પાછળથી નીકળી જાય. એકપણ વસ્તુ શરીરમાં ટકતી નહી. છતાં આ રીતે એક મહિનો કાઢ્યો અને પછી ધીરે ધીરે જ્યુસથી શરૂઆત કરી અને ૩ મહિના બાદ તેઓની સફળ સારવાર થઈ. છતાં આજે એક હાથ કપાવવો પડ્યો છે. પીઠમાં એટલા મોટા ખાડા છે કે તેઓને એક જ પડખે સુવું પડે છે. આટલું થયાં પછી પણ જાે હાર માની જાય તો એનું નામ વિજયભાઈ ન કહેવાય. વિજયભાઈએ આ બધી ઘટનાને ભગવાનનો સંકેત સમજીને ફરી બેઠાં થયા. અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગરપ એમ અલગ અલગ જગ્યાએ જે પણ નાનું મોટું કામ મળે એના માટે પ્રયત્નો કર્યા. પરંતુ સભ્ય અને સંસ્કારી તેમજ ભણેલા કહેવા આ સમાજે વિજયભાઈને માત્ર અને માત્ર જાકારો જ આપ્યો, ધૂતકાર જ આવ્યો, નફરત જ આપી, હડતૂત જ કર્યાપ. દરેક લોકોએ કામ નથી આપ્યું એવું પણ નથી.

પરંતુ જેણે જેણે કામ આપ્યું એણે પણ મજબૂરીનો લાભ લઈ લાત મારી દીધી. એમના એકાદ- બે કિસ્સા શેર કરતાં વિજયભાઈ ખુબ જ દર્દનાક હાલતમાં જણાવે છે કે, હું અમદાવાદમાં એક ખુબ જ જાણીતી હોસ્પિટલમાં કામ માટે આવ્યો. જ્યારે દર્દીનું ઓપરેશન થઈ જાય પછી જે સાધનો હોય એ મારે સાફ કરવાનું કામ કરવાનું હતું. એ લોકોએ ૧૫ દિવસ સુધી મારી પાસે કામ કરાવ્યું. મે પણ દિલ લગાવીને કામ કર્યું. ૧૫ દિવસ પછી મને કહેવામાં આવ્યું કે હવે તમારાથી કામ થાય એવી હાલત નથી તમે નહીં કરી શકો. આવા અને કટુ-કટુ વેણ કહીને મને હાંકી કાઢ્યો. નોકરીમાંથી કાઢી નાખ્યો એનું પણ મને દુખ નથી. પરંતુ મને એકપણ રૂપિયો પગાર ન આપ્યો.

એનાથી વિશેષ બીજી વાત કે જ્યારે પેટ્રોલ પંપ પર કામ મળ્યું તો ત્યાં પણ ૧૫ દિવસમાં જ નોકરીમાંથી કાઢી મૂક્યો. ત્યાં એટલું સારું હતું કે મને ટિકિટના પૈસા આપી દીધા હતા. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે માણસ જાત પરથી જ વિશ્વાસ ઉઠી જતો હોય છે. આવા અનેક ખરાબ અને કડવા અનુભવ પછી પણ જાે ડગી જાય તો એમને હિમાલય ન કહી શકાય. વિજયભાઈ તો ખરેખર વિજયની પતાકા લહેરાવવા માટે જ ઘરનું ઘર અને વતન છોડીને મોટા શહેરમાં આવ્યા હતા. અમદાવાદ અને બીજા શહેરમાં પણ ખુણે ખુણે કામ અને નોકરી શોધી. પરંતુ વિજયભાઈ કદાચ ભૂલી ગયા હતા કે અહીં શહેરમાં માણસ કરતાં કામની વધારે કિંમત્ત છે.

પરિસ્થિતિ કરતાં પૈસાની વધારે કિંમત્ત છે. આખરે નોકરી અને કામ ન મળતા તેઓ ફરીથી પાડિયાદમાં પોતાના ઘરે જઈને વસવાટ કરવા લાગ્યા. બસ હવે એમની પાસે કોઈ ઓપ્શન નહોતું. એક જ રસ્તો હતો કે લોકો પાસે ભીખ માંગીને જે પણ પૈસા આવે એનાથી ઘર ચલાવો અને પરિવારનું પાલન પોષણ કરો, ખરેખર પરિસ્થિતિ પણ એવી જ આવીને ઉભી રહી કે વિજયભાઈ ભીખ માગી રહ્યા છે. કામ કરવું છે, જાેશ છે, જૂનુન છે, જુસ્સો છે, હિંમત્ત છે, પડકાર જીલવાની તાકાત છેપ. પરંતુ આ સમાજ એમને સમજી શકે અને કામ આપી શકે એટલી માણસાઈ નથી એનો જ અફસોસ છે. કંઈક આવી જ વાત છે વિજયભાઈના પત્ની મમતાબેનની. જ્યારે મમતાબેન ૫ વર્ષના હતા ત્યારે મગજમાં તાવ ચડ્યો. તાવ એટલો આકરો હતો કે નસ જ બ્લોક થઈ ગઈ.

હવે ડોક્ટરોએ કહ્યું કે જાે આ નસનું ઓપરેશન કરવું હોય તો બન્ને પગ કાપવા પડશે. આપણે પોલિયો પણ કહી શકીએય આ રીતે માત્ર ૫ વર્ષની ઉંમરે જ બન્ને પગમાં પોલિયો. એટલે મમતાબેન તો આજીવન નથી ચાલી શકવાના એ તૈયારીમાં જ જીવતા શીખી ગયા. આજે પણ જાે માત્ર ૧૦૦ મીટર જવાનું હોય તો પણ મમતાબેન કોઈના સાથ-સહારા વગર જઈ ના શકે. પરંતુ આ પરિવાર જે રીતે રહી રહ્યો છે એ ખરેખર આજના છુટ્ટાછેડાના વધતા કિસ્સા માટે મિશાલ સમાન છે.

Related Posts