અમરેલી

જાફરાબાદ ખાતે નવરાત્રી મહોત્સવ દરમિયાન મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM – VVPAT નિદર્શન તથા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકશાહી માટે મતદાનનું મહત્વ અને મતદાતાઓના ફરજ અને અધિકાર એમ બંને પાસાઓ ધરાવતા મતદાન માટે  વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય તે માટે જાફરાબાદ તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી મતદારયાદીમાં મતદાતા પોતાનું નામ અને વિગત બરાબર છે કે કેમ તેની ચકાસણી કરી શકે છે. ચૂંટણીમાં મતદાન માટે નાગરિકોને જાગૃત્ત કરવા, “વધશે લોકશાહીનું સન્માન જ્યારે દરેક મતદાર કરશે મતદાન” નો મંત્ર,  આ કાર્યક્રમના માધ્યમ થકી આપવામાં આવ્યો હતો.

Related Posts