અમરેલી

જાફરાબાદ તાલુકાના બાલાનીવાવના CRPF જવાનને દિલ્હી ખાતે એવોર્ડથી સન્માનિત કરાયા

સમગ્ર કાઠી સમાજ નું ગૌરવ એવા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ના વતની હરેશભાઈ બોરીચા સીઆરપીએફ ને આજે દિલ્હી બોલાવેલ અને તેમને વીરતા સન્માન સમારોહ માં પીએનજી એવોર્ડથી સન્માનિત સન્માનિત કરવામાં આવ્યા.

૨૦૧૮માં આતંકવાદીને ઠાર કરનાર અમરેલી જિલ્લા ના નાનકડા ગામના સી.આર.પી.એફ. ના ૨૮ વર્ષના હરેશ બોરીચા નુ દિલ્હી ખાતે DG દ્વારા વીરતા સન્માન કાર્યકમ મા પી.એન.જી એવોર્ડ આપી સન્માન કર્યું તારીખ:- ૨૬:૧૧:૨૦૧૮ મા આતંકી પવૃત્તિ સામે ઓપરેશન પાર પાડવામા અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય યુવાને મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમરેલી જિલ્લામા આવેલ જાફરાબાદ તાલુકા ના નાનકડા એવા બાલાનીવાવ ગામ ના વતની હરેશભાઇ દેસાભાઈ બોરીચા સી.આર.પી.એફ મા ૨૦૧૪માં  તેમની નોકરી ની શરૂઆત થઈ હતી અને અનેક સરહદો પર ફરજ બજાવી છે અત્યારે તેમની ૨૮ વર્ષની ઉંમર છે આટલી ઉંમર એ આ યુવાન જવાને અનેક આતંકવાદી સામે મહત્વ ના ઓપરેશન પાર પાડ્યા છે તેમની ફરજ દરમ્યાન હરેશભાઇ બોરીચા અતિ સેન્સિટિવ વિસ્તારો મા ફરજ બજાવી છે પરંતુ તેમની બહાદુરી અને વીરતા ને તેમના ઉચ્ચ અધિકારીઓ દરોજ ને માટે બિરદાવી પ્રશંશા કરી રહ્યા છે આ યુવાન ૨૮ વર્ષનો હરેશ બોરીચા પરંતુ તેમની દેશ પ્રત્યે પ્રેમ ભાવ રાષ્ટ્ ભાવના અને લાગણીના કારણે જવાનોમાં પણ તેમની ચાહના આટલી જ છે અને તેની કામગીરી ના કારણે તેની ફરજ દરમ્યાન અનેક વખત સન્માનીત કરાયા છે તારીખ ૨૬:૧૧:૨૦૧૮ મા આતંકવાદી ઉપર ઓપરેશન મા સૌથી પહેલા આ જવાને આતંકવાદી ને ઠાર મારી દીધો હતો અને ખૂબ બહાદુરી પૂર્વક કામગીરી કરાય હતી જેના કારણે સી.આર.પી.એફ. ના DG  એમ.પી.મહેશ્વરી દ્વારા દિલ્હી ખાતે આજે વીરતા સન્માન સમારોહ કાર્યકમ યોજાયો હતો જેમા DG ના વરદ હસ્તે હરેશભાઇ બોરીચા જવાન નુ સન્માન કરાયુ હતુ અને પ્રોત્સાહન આપતા આ જવાન નો ઉત્સાહ ઉમંગ પણ વધ્યો હતો જ્યારે આ જવાને સમગ્ર અમરેલી જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે નાના એવા બાલાનીવાવ ગામના કાઠી ક્ષત્રિય સમાજ માથી આવતા હરેશ બોરીચા એ ૨૦૧૪ની સાલ મા સિલેક થઈ ફરજ બજાવી છે સાથે સાથે ૨૦૨૧ સુધીમાં અનેક બહાદુરીથી વીરતા ભરી કામગીરી કરી ચુક્યા છે ત્યારે આ સન્માન સમારોહ થી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ મા ઉત્સાહ ઉમંગ છવાયો છે.૨૦૧૮માં પુલવાના તરાલમાં સી.આર.પી.એફ. દ્વારા ઓપરેશન કરાયુ હતુ અને આ હરેશ બોરીચા જવાન દ્વારા પ્રથમ આતંકવાદી ને ઠાર માર્યો હતો આ પ્રકારની અનેક દેશ માટે કામગીરી કરી ચુક્યો છે હાલમા પુલવાના અવંતીપુરમાં ફરજ બજાવે છે.

Related Posts