અમરેલી

જાફરાબાદ ના બે હોમગાર્ડ જવાનો ને વય મર્યાદા થી નિવૃત્તિ વિદાયમાન અપાયું

જાફરાબાદ તાલુકા હોમગાર્ડ યુનિટના ક્લાર્ક ભુપતભાઈ બારૈયા અને સભ્ય લક્ષ્મણભાઈ ચૌહાણ વય મર્યાદા થી નિવૃત્તિ સન્માન  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વયમર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહેલા બંને સભ્યો ને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ તથા શાલ જવાનો એ પ્રદાન કરી નિવૃત્ત થતા જવાનો પોતાનો શેષ જીવન તંદુરસ્તીવાળું તથા દીર્ઘાયુષ મેળવી તેમના પરિવાર અને સમાજની સેવા કરી દરેક સફળતા મેળવે એવી શુભેચ્છા પાઠવી હતી.

આ તકે જાફરાબાદ તાલુકા ના તમામ હોમગાર્ડ જવાનો અમરેલી જીલ્લા હોમગાર્ડ  કમાન્ડન્ટ અશોક જોષી, જાફરાબાદ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર અરવિંદ બારૈયા (કંપની કમાન્ડર) કંટ્રોલ ઈન્ચાર્જ શરદ સાપરીયા વગેરે અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અમિતગીરી ગોસ્વામી  ની યાદી જણાવેલ.

Related Posts