જામફળ કેવી રીતે તમારી નાનામાં નાની બિમારી પણ દુર કરશે, જાણો ફટાફટ…
ફળોમાં શ્રેષ્ઠ અને ફાયદાકારક ફળ ગણાતા જામફળ ખાવામાં મીઠું અને ખૂબ જ પૌષ્ટિક છે, પરંતુ સાથે જ તે અનેક રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભ વિશે.
પેટ સંબંધી સમસ્યા
કાળા નમક સાથે જામફળનું સેવન કરવાથી પેટની પાચન સંબંધી તમામ સમસ્યાઓથી છુટકારો મળે છે અને તે તમારી પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે.
પેટમાં કીડા પડવા
ઘણી વખત નાના બાળકોના પેટમાં કીડા પડી જાય છે, તેથી તેમાંથી છુટકારો મેળવવા માટે, આ ફળનું સેવન ખૂબ અસરકારક માનવામાં આવે છે.
ડાર્ક સર્કલ
જો આંખોની નીચે ડાર્ક સર્કલ હોય કે સોજો આવી ગયો હોય તો જામફળના પાનને પીસીને આંખોની નીચે લગાવવાથી થોડા જ સમયમાં ડાર્ક સર્કલ અને સોજો મટે છે.
કબજિયાત
જો તમને પાચન અથવા કબજિયાતની સમસ્યા હોય તો સવારે ખાલી પેટે સારી રીતે પાકેલો જામફળ ખાવાથી આ સમસ્યા દૂર થાય છે.
મોંઢામાંથી વાસ આવવી
ઘણી વખત કોઈ વસ્તુ ખાવાના કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે, તો તેના માટે તમારે જામફળના મુલાયમ પાનને હળવા ચાવવા જોઈએ, તેનાથી તમારા પેઢા મજબૂત થશે અને મોઢાની દુર્ગંધ પણ દૂર થઈ જશે.
Recent Comments