અમરેલી

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

અમરેલી, તા.૨૧ મે, ૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ વૈશાખ વદ ૫) જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત થતાં અનાજ વિતરણ વિશે વિગત આપી હતી.  નિયત રીતે ઘઉં,ચોખા, ખાંડ અને કેરોસીનનું વિતરણ જરુરિયાતમંદોને કરવામાં આવ્યું હતું. રુ.૪૭,૮૯,૭૬૧ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો.  રુ.૯,૬૩,૭૧૧ની કિંમતનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે. માસ દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળને ૨૧ ફરિયાદ મળતાં તેમાંથી ૧૮ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો

Related Posts