વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને પર્યાવરણ વિશે લોકો વાકેફ થાય. વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઉછેરવા અને વૃક્ષો થકી પર્યાવરણ જાળવણી કરવાના સંદેશ સાથે અમરેલી શહેર ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ અને શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના સંયુક્ત ઉપક્રમે અમરેલીના હાર્દ સમા સિટીઝન પાર્ક ખાતે ખાસ નાગરિકો માટે તૈયાર કરવામાં આવેલો ‘ઈકો સેલ્ફી પોઈન્ટ’ નાયબ વનસંરક્ષકશ્રી શેત્રુંજી વન્યજીવ વિભાગ જયંત પટેલના હસ્તે રીબીન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અમરેલીના પર્યાવરણ પ્રેમી નાગરિકોને ચકલીના ઈકો ફ્રેન્ડલી માળા અને રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકો પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજી શકે તેવા ઉમદા આશયથી શરુ કરવામાં આવેલ આ સેલ્ફી પોઈન્ટ આગામી તા.૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિન સુધી ખુલ્લો રહેશે. નાગરિકો આ પોઈન્ટ પર પોતાની સેલ્ફી ક્લિક કરી શકશે. આ પોઈન્ટ પરથી નાગરિકોને ચકલીના માળા, રોપા અને વનીકરણ યોજનાની પુસ્તિકા વગેરેનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શેત્રુંજી વન્યજીવન વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી જયંત પટેલ, સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના મદદનીશ વન સંરક્ષક શ્રી એ.યુ. શેખ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી ખાખસ અને વન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી નિમિત્તે સાયકલ રેલી, રોપા વિતરણ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રના હસ્તે નાગરિકોને રોપાં, ચકલીના પક્ષીઓનાં માળાનું વન વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું

Recent Comments