અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૪ મે, ૨૦૨૩ને ગુરુવારના રોજ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ ભાઈની ઈલેક્ટ્રિકલ્સ અપ્લાયન્સ ઈન્ડિયા પ્રા. લી. અમદાવાદ  માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૨ તેમજ આઈ.ટી.આઇ (૨ વર્ષ) ટ્રેડ પાસની તકનિકી લાયકાત અથવા ડિપ્લોમા હોલ્ડરની આવશ્યકતા છે. યાઝાકી ઈન્ડિયા પ્રા.લી માટે ૧૮થી ૨૮ વર્ષ ની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૨ તેમજ આઈ.ટી.આઈ (૨ વર્ષ) ટ્રેડ પાસની તકનિકી લાયકાત અથવા ડિપ્લોમા હોલ્ડર હોય તેમજ રોજગાર ઇચ્છુક હોય તે આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. આગામી તા.૦૪ મે, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts