જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ રાજ ભારતી બાપુ દારૂ પીતા હોવાનો વીડિઓ અને અન્ય કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેના લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે. રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું છે.
પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાેકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજ ભારતી બાપુનો થોડા દિવસ અગાઉ વાયરલ થયેલા વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત તેમના કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ધૃણાનો ભાવ જાેવા મળી રહ્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજ ભારતી બાપુએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
Recent Comments