તારીખ ૧૧/૦૩/૨૦૨૪ના રોજ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજની એક મીટીંગ થઈ. જેમાં સાવરકુંડલા આહીર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટીના સભ્યો તથા આહીર સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા સમાજને સફળતા તરફ કેમ લઈ જવો તેની ખૂબ સુંદર ચર્ચાઓ થઈ. જેમાં સાવરકુંડલા આહીર સમાજનાં ઘરે કોઈપણ પ્રસંગ હોય ત્યારે સૌએ સાથે જવું, ખડા પગે રહેવું, એકસરખો ચાંદલો – વેવાર કરવો અને એકબીજાના સુખ – દુઃખમાં ભાગ લેવો એમ નક્કી થયું.બીજા એક અગત્યના મુદ્દાની એ ચર્ચા થઈ કે કમિટીના સભ્યોએ સમગ્ર સમાજનાં દરેક વિકાસત્મક કાર્યોમાં હાજર રહેવું. સાવરકુંડલા શહેરમાં આહીર સમાજની એક વાડી બને એ પણ સમાજનું લક્ષ્ય છે અને એ માટે જમીન માંગણી થઈ ચૂકી છે. આ ઉપરાંત એક અગત્યના મુદ્દા તરીકે સાવરકુંડલા આહીર સમાજ ન બાળકો માટે જીકે ના ક્લાસ સત્વરે શરૂ થાય એવી ચર્ચા પણ થઈ.
આ ઉપરાંત એવી પણ ચર્ચા થઈ કે સાવરકુંડલા આહીર સમાજનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેમાં કોઈ એ બિનજરૂરી મેસેજ કરવા નહિ અને યોગ્ય મેસેજનો દરેકે યોગ્ય પ્રતિભાવ આપવો. આ ઉપરાંત આહિર સમાજની ડિરેક્ટરી બની રહી છે તેમાં સૌએ સક્રિય પણે ભાગ લેવો અને પોતાના પરિવારના ફોર્મ વહેલામાં વહેલી તકે જમા કરાવવા. આ ઉપરાંત સાવરકુંડલા આહીર સમાજનું કોઈ કુટુંબ આ ડિરેક્ટરીમાં બાકી રહી જતું હોય તો તેમણે વહેલામાં વહેલી તકે કમિટીનો સંપર્ક કરવો અને આ માટે સોશિયલ મીડિયામાં યોગ્ય પ્રચાર પ્રસાર કરવો તેવું નક્કી થયું છે. આ ઉપરાંત વિકાસાત્મક ફાળો છે તેની રકમ વધારવી કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ. સમાજ વિકાસ ફાળો નહીં જમા કરાવનારને સાવરકુંડલા આહીર સમાજ કમિટી વતી થતા કોઈ કાર્યક્રમનો લાભ મળવાપાત્ર નથી તેની પણ ચર્ચા થઈ. આમ સાવરકુંડલા આહીર સમાજ શહેર કમિટીના સાનિધ્યમાં ખૂબ પ્રગતિ અને સફળતાના પંથે છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લા આહીર સમાજ તરફથી સાવરકુંડલા આહીર સમાજ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે
Recent Comments