ભાવનગર

ઝુંડાળ ખાતે નવરાત્રિમાં તિરંગા સાથે વંદના

સૈનિકો ક્ષેમ કુશળ રહે તે માટે ઝુંડાળ ખાતે નવરાત્રિમાં બાળકો દ્વારા નવદુર્ગાને તિરંગા સાથે વંદનાઈશ્વરિયા રવિવાર તા.૨૨-૧૦-૨૦૨૩નવરાત્રિમાં નવદુર્ગા માતાજીની અલગ અલગ રીતે ઉપાસના વંદના થાય છે ત્યારે ઝુંડાલ ખાતે રાષ્ટ્રના સૈનિકો ક્ષેમ કુશળ રહે તે માટે બાળકો દ્વારા તિરંગા સાથે વંદના થઈ છે.રાષ્ટ્રના સૈનિકો સરહદ પર રહી શક્તિ સાથે સુરક્ષા કરી રહ્યા છે,

તેમના પ્રત્યે અહોભાવ સાથે તેઓના રક્ષણ માટે અમદાવાદ પાસેના ઝુંડાલ ખાતે નાનકડા બાળકો સાથે અહીંના પરિવારજનો દ્વારા નવરાત્રિમાં સનાતન સંસ્કૃતિની વેશભૂષા સાથે ગરબા અને વિશેષ સ્તુતિ પ્રાર્થના થયેલ છે.સનાતન શક્તિ પર્વ નવરાત્રિમાં નવદુર્ગા માતાજીની અલગ અલગ રીતે ઉપાસના વંદના થાય છે ત્યારે અહીંયા સૈનિકો અને તેઓના પરીવારજનો ક્ષેમ કુશળ રહે તે માટે રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે રંગોળી બનાવી માતાજીની સ્તુતિ વંદના કરવામાં આવી છે.

Related Posts