બનાસકાંઠાના ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલા ૪૫ વર્ષ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે. આ મંદિરે અનેક શ્રધ્ધાળુ બાધા આખડી રાખી શીશ નમાવે છે. આસ્થાનું આ અનોખું ધામ એવા ખોડિયાર મંદિર મહાસુંદ આઠમના દિવસે દર વર્ષે માતાજીની જન્મ જ્યંતી ઉજવામાં આવે છે અને લાપસીના મહાપ્રસાદનું પણ ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ માં દેવી પૂજા વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ નવદુર્ગા આરાધના અને ભક્તિનું સવિશેષ મહત્વ રહેલું છે.
ત્યારે તેમાંય નવ દેવી ઓ જેમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રી વેરાઈ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બહુચર માતાજી, ગાયત્રી મા, ચામુંડા મા, હિંગળાજ માં, ભવાની મા, ભુવનેશ્વરી મા, આશાપુરા મા, ગાત્રાડ મા, મેલડી મા, વિસત મા, કનકેશ્વરી મા, મોમાઈ મા, નાગબાઈ મા, હરસિધ્ધિ મા, મોઢેશ્વરી મા, ઉમિયા મા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે. તેમાનાં એક દેવી એટલે ખારીયા ધરાની ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા એટલે મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા એટલે મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જાેગડ, તોગડ, બીજબાઈ,
Recent Comments