ભાવનગર

ઢસા ના આંગણે ભીમ અગિયારસ ૧૮ જૂને સ્વામી શ્રી નિર્દોષાનંદજી પુષ્પવાટિક પક્ષી મંદિર લોકાર્પણ અને મહારક્તદાન શિબિર

ગઢડા સ્વામીના  ઢસા ના આંગણે જેઠ સુદ ભીમ અગિયારસ તા. ૧૮ જૂને મંગળવારે  સ્વામી શ્રી નિર્દોષાનંદજી પુષ્પવાટિક પક્ષી મંદિર લોકાર્પણ અને મહારક્તદાન શિબિર યોજાશે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ ની પાવન નિશ્રા માં સેવા પરમો ધર્મ ના મંત્ર ને સાર્થક કરતી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ અર્થે મહારક્તદાન કેમ્પ યોજાશે ઢસા ગામે શોભા માં અભિવૃદ્ધિ કરાવતી પુષ્પ વાટિકા એવમ પક્ષી મંદિર ના પાવન પર્વ એ શ્રી જગદીશ્વર મહાદેવ ના અપાર આશીર્વાદ થી ઢસા ગામે નિર્માણ મનોહર નયનરમ્ય શાંતિ વન સાત્વિક વાતાવરણ ની અનુભૂતિ કરાવતા પુષ્પવાટિકા અને કુદરતી પ્રકૃતિ ના ખોળે ઉછળકૂદ કરતા ગગન વિહારી ઓ માટે પક્ષી મંદિર નું ભવ્ય લોકાર્પણ એવમ મહારક્તદાન શિબિર નું ધર્મસભા સહિત નું આયોજન  તા ૧૮/૦૬/૨૪ ના મંગળવાર ના રોજ યોજાશે 

Related Posts