આજથી 5 વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળક હોમાય ગયા હતા. જે 22 માસૂમ બાળકોના માવતર આજે પણ પોતાના વ્હાલસોયાના યાદ કરતા આંખમાંથી આંસુ છરી પાડે છે. તક્ષશિલાની મોટી ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ કામ કરવામાં આગળ આવતું ન હોવાનું દેખાયું છે. મળતી માહતી અનુસાર સુરતની 214 શાળા છે જે પૈકી 181 પાસે NOC નથી તેવું જાણવા મળ્યું છે.પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા લખવામાં આવેલા પત્ર પરથી પુરવાર થઈ રહ્યું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા બાળકોની સુરક્ષાને લઈને વધુ ગંભીરતા દેખાતી નથી. તક્ષશિલા કાડમાં 22 બાળકો હોમાઈ ગયા બાદ મોટા ઉપાડે ગેરકાયદે શેડ અને શાળાઓ શરૂ છે. જોકે, ફાયર સેફ્ટીની સુવિધા પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી છે છતાં પણ NOC શાળાને મળી નથી. જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે, બાળકોની સુવિધાને લઈ તમામ કામગીરી હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. NOC ન હોવા પરથી સ્પષ્ટ થાય છે કે, ફાયર સેફ્ટીની સુવિધાઓમાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી અથવા તો કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી તેને NOC મળી રહી નથી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા જણાવ્યું કે, કુલ 214 જેટલા ભવનો છે. જેમાં અલગ અલગ ભાડે શાળાઓ શરૂ છે. મોટાભાગની શાળાઓની અંદર ફાયર સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. જેથી કરીને બાળકોને સુરક્ષાને લઈ કોઈ પ્રશ્નો ઊભો ન થાય. પરંતુ કુલ 181 જેટલી શાળાઓની અંદર હજી પણ કામગીરી ચાલુ હોવાને કારણે તેને NOC મળી શકી નથી. NOC ઝડપથી મળી જાય તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. કેટલાક શાળાઓની અંદર જે પ્રમાણે નિયમો હોય તે મુજબના દાદરા બનાવવાની કામગીરી ચાલી રહી છે. આવી કેટલીક અરજણોને કારણે હજી સુધી NOC મળી નથી. જોકે ફાયર સુવિધા હોવાને કારણે બાળકોના જીવ સામે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું થાય તેમ નથી.
પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ રાહુલ ગવળેએ જણાવ્યું કે, સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે સ્કૂલ સેફ્ટી પોલીસી 2016 અંતર્ગત પત્ર લખી કમિશનરને રજૂઆત કરી છે. આકસ્મિક ઘટનાઓ દરમિયાન વિદ્યાર્થીઓને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગેની આચાર્યોને તાલીમ આપવામાં આવે છે તે તાલીમ સારી રીતે પૂર્ણ કરી છે. આચાર્યના અંતર્ગત આવતી તમામ બાબતોને યોગ્ય રીતે અને સમયસર પૂરી કરવામાં આવે છે. ફાયર હોવી જોઈએ તે યોગ્ય રીતે જોવા મળતી નથી. આગ લાગવાના સમયે એલાર્મ, પાણીની પાઇપલાઇન જે 9 મીટર કરતા વધુ ઊંચાઈવાળી શાળા હોય છે. તેમાં લગાવવામાં આવેલા હોવા જોઈએ. આ બધી જે સુવિધાઓ છે તે આચાર્યના સ્તરે ઉભી કરવી શક્ય નથી.
Recent Comments