ગુજરાત

તપસ્યા ગ્લોબલ કેમ્પસ શાળામાં શિક્ષકદિન નિમિત્તે વિદ્યાર્થીઓને

સન્માનપત્ર અને સ્મૃતિ ચિહ્ન અપાયા ઃ શાળાએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો શિક્ષકદિન પ્રખર શિક્ષણવિદ અને આજીવન શિક્ષક તથા ભારતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્નનજીના જન્મદિન ૫ મી સપ્ટેમ્બરે આખુ રાષ્ટ્ર શિક્ષક દિનના રૂપમા ઉજવે છે. આજે નગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા તપસ્યા ગ્લોબલ કેમ્પસમાં શિક્ષક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્ય દ્વારા સર્વપલ્લી રાધાકૃષ્નનજીને આદરપૂર્વક યાદ કર્યા હતાં. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને એમના ઉત્સાહને વધારવામાં આવ્યો હતો.

તપસ્યાના ડાયરેક્ટર શ્રી પુલકભાઇ ત્રિવેદીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કર્યા બાદ જણાવ્યું હતું કે, ગુરૂ શિષ્યની આદર્શ ભારતીય પરંપરામાં સંસ્કાર અને સંસ્કૃતિનો ભવ્ય વારસો રહ્યો છે. વિદ્યાર્થીઓના માનસમાં ગુરૂ પ્રત્યેના આદર, માન અને સત્કારની પરિભાષા શિક્ષકદિનની ઉજવણી દ્વારા વધુ બળવત્તર બનતી હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. જાણીતા એકેડેમિશિયન અને તપસ્યા સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. કેવલ ત્રિવેદીએ સમગ્ર ઉજવણીને અર્થસભર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગોપાલક કન્યા મંડળના ડાયરેક્ટર રામજીભાઈ દેસાઈ તેમજ બેંક ઓફ ઇંડિયાના સેક્ટર-૧૬ શાખાના મેનેજર શ્રી રવિ શર્મા તથા એમની બેંક ટીમે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

Related Posts