ભાવનગર

તળાજામાં ભાણેજ અને માતૃશ્રી નો જન્મદિવસ 150 જરૂરિયાત મંદને ભોજન આપીને અનોખી રીતે ઉજવ્યો

તળાજા ખાતે માતુશ્રી અને બે ભાણેજનો જન્મદિવસ આજે જરૂરિયાતમંદ લોકોને ગરમાગરમ ભોજન આપીને અનોખી રીતે ઉજવ્યો હતો.તળાજાના મહિપાલસિંહ સરવૈયા (કાનભા) એ અહીંના આશુતોષ અન્નક્ષેત્રમાં ભારદ્વાજગીરીબાપુની પ્રેરણાથી તળાજાના અભાવગ્રસ્ત અને વગડામાં રહેતા પરિવારના બાળકોને મીઠાઈ સાથે ગરમાગરમ ભોજન પૂરું પાડીને માતૃશ્રી દેવલત્તાબા તેમજ ભાણેજ હર્ષવર્ધનસિંહ અને પ્રત્યુષાબા ની આજરોજ જન્મતિથિના રોજ પુણ્યકાર્ય સાથે ઉજવણી કરીને પ્રેરણા પૂરી પાડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી તળાજાની પરોપકાર માટે કામ કરતી જાણીતી સંસ્થા આશુતોષીય અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકોને દરરોજ ભોજન પૂરું પાડવામાં આવે છે.

Related Posts