ભાવનગર

તળાજામાં હરદ્વાર ગોસ્વામીના પુસ્તક ‘શ્રાવણસુવાસ’નો વિમોચન સમારોહ યોજાશે 

નરસિંહ મહેતા વિદ્યાલય તળાજા આયોજિત તા. ૭-૮-૨૦૨૨ રવિવાર સાંજે ૫.૩૦ કલાકે  કોમ્યુનિટી હોલ, રામપરા રોડ, તળાજા ખાતે સુખ્યાત સાહિત્યકાર હરદ્વાર ગોસ્વામી લિખિત ‘શ્રાવણસુવાસ’ પુસ્તકનો  વિમોચન સમારોહ યોજવમાં આવ્યો છે. તિથિ પ્રમાણે મહાદેવના મહાત્મ્યને આલેખતું ગુજરાતી ભાષાનું આ સર્વપ્રથમ અધિકૃત પુસ્તક છે. સાહિત્યરસિકોને પધારવા જાહેર નિમંત્રણ છે.  


લોકપ્રિય લેખક અને વિખ્યાત વક્તા ડૉ. નિમિત્ત ઓઝાના વરદ હસ્તે પુસ્તકનું વિમોચન થશે. મુખ્ય મહેમાન તરીકે તળાજા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચેતનસિંહ વાળા અને જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુ હશે. અતિથિવિશેષ તરીકે દિલીપ પાઠક અને હઠુભા ઝાલા (ભૂમિ ટ્રાવેલ્સ) રહેશે. કાર્યક્રમમાં શિવગાનની પ્રસ્તુતિ રક્ષા શુક્લ અને  ડૉ. કૃતિ મેઘનાથી ગાયકી દ્વારા કરશે. કાર્યક્રમનું સંચાલન  પ્રિ. ધર્મિષ્ઠા ગોસ્વામી કરશે. જાહેર જનતા માટે આ કાર્યક્રમ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. 

Related Posts