આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. લાઠી તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથક લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
તા.૨૧ ફેબ્રુઆરીએ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Recent Comments