તા.૨૫ સપ્ટેમ્બરે ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશેઃ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે ખાંભા મામલતદાર કચેરી ખાતે ખાંભા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તેવા સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા. તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૦૩ કલાકે ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મળી જાય તે રીતે મોકલવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ ખાંભા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments