‘દયાભાભી’કેરેક્ટર એક્ટ્રેસની કેન્સર પીડિત હોવાની અફવા વહેતી થઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/10/File-01-Page-36-1-1140x620.jpg)
લિવિઝન ઈન્ડસ્ટ્રીનો સૌથી સફળ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનું કેરેક્ટર નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણીના કમબેકની શોના ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. અવારનવાર દિશા આગામી મહિનાથી શોમાં જાેવા મળશે અથવા તો દિશા ફરીવાર શો સાથે જાેડાવાના કોઈ મૂડમાં નથી તેવી વાતો મીડિયાના અહેવાલોમાં ચમકતી રહે છે. દિશા ટૂંક સમયમાં જ શોમાં કમબેક કરશે અથવા તો તેને કોઈ બીજી એક્ટ્રેસ રિપ્લેસ કરશે તેવા મેકર્સના દાવા વચ્ચે દિશા વાકાણી કેન્સરની બિમારીથી પીડિત હોવાની અફવા ફેલાઈ હતી. દિશા વાકાણી અંગે અફવા ફેલાઈ હતી કે, શોમાં સતત અલગ પ્રકારના અવાજ સાથે પરફોર્મ કરવાના કારણે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે અને આ કારણે જ, તે ફરી શોમાં સામેલ નહીં થઈ શકે.
મામલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશાના ભાઈનું પાત્ર નિભાવતા અને દિશાના રિયલ લાઈફ ભાઈ મયુર વાકાણીએ જણાવ્યું હતું કે, આ વાત ઉપજાવી કાઢેલી છે. દિશા એકદમ સ્વસ્થ છે. અમારા શો અને વિવિધ કેરેકટર્સ વિશે અનેક અફવા ફેલાતી રહે છે. ફેન્સને મારે કહેવું છે કે, આવી અફવાઓ પર ધ્યાન ન આપે. દિશા એકદમ સ્વસ્થ છે અને મારી તેની સાથે નિયમિત વાતચીત થતી રહે છે. આ કોમેડી શોમાં દિશા વર્ષ ૨૦૧૭ બાદ ગણતરીના એપિસોડ્સને બાદ કરતા નજર નથી આવી. લગ્ન બાદ પ્રેગ્નેસીના કારણે દિશાએ બ્રેક લીધો હતો અને ત્યારબાદ, કોરોના મહામારી અને બીજા બાળકના જન્મ પછી દિશા શોમાં ક્યારે ડેબ્યૂ કરશે તે અંગે શોના મેકર્સ અને ફેન્સમાં અસમંજસ છે. આ સિરિયલની જેઠાલાલ અને દયાભાભીની જાેડી વર્લ્ડ ફેમસ છે અને તેમની કેમેસ્ટ્રીને જાેવા આજે પણ દર્શકો તલપાપડ છે.
Recent Comments