અમરેલી

દામનગર વિચરતી જાતિ વિમુક્ત જનજાતિ ને અલગ થી શિક્ષણ નોકરી માં ૧૦% ટકા લાભ આપો ની તાલુકા પંચાયત સદસ્ય જયાબેન પરમાર ની મુખ્ય મંત્રી સમક્ષ માંગ

દામનગર વિચરતી વિમુક્ત જનજાતિની માંગણી ને વાચા આપવા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પત્ર દ્વારા રજૂઆત કરતા લાઠી તાલુકા પંચાયત સદસ્ય જયાબેન લાલજીભાઈ પરમાર દ્વારા 
ગુજરાત રાજય મુખ્ય મંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ને ગુજરાતની વિચરતી -વિમુકત જાતિઓને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં ૧૦% અનામત આપવા અંગે કેન્દ્ર સરકારના બન્ને કમિશનોએ કરેલી ભલામણોનુ સત્વરે અમલીક૨ણ કરવા વિનંતિ કરતો પત્ર પાઠવ્યો  કે ગુજરાતની વિચરતી -વિમુકત જાતિઓને મળતા અનામતના લાભો વર્ષ -૧૯૯૫ થી બંધ થયેલ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આ જનજાતીઓ હજુ ખુબજ દયનીય સ્થિતીમાં જીવન ગુજારે છે અને પાયાની પ્રાથમીક સુવિધાઓથી વંચિત છે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલ  ઈદાતે કમિશન (Idate Commission) દ્વારા ૨૦૧૭ માં થયેલ સર્વેના આધારે ગુજરાતની વિચરતી વિમુકત જાતિઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ તથા સરકારી નોકરીઓમાં અલગથી ૧૦% અનામત આપવાની રાજય સરકારશ્રીને ભલામણ કરેલ છે પરંતુ કમીશનની આ ભલામાણ નું અમલીકરણ થયેલ નથી જેથી જેનુ અમલીકરણ કરવા રજુઆત છે આ ઉપરાંત ર૦૦૮ માં કેન્દ્રસરકાર દ્વારા નીમાયેલ ‘ રૈણકે ‘ કીશન દ્વારા થયેલા સર્વેમાં પણ આ વીચરતી-વીમુકત જાતીઓની સ્થીતી અતિ કથળેલ હોવાનુ જણાવેલ આ સ્થિતી ને સમતોલ કરવા માટે આ જનજાતીઓને ૧૦% અલગથી અનામત આપવાની રાજય સરકારશ્રીને ભલામણ કરેલ છે Canfierond દેશના અન્ય રાજયો મહારાષ્ટ્ર તમિલનાડુ  ઝારખંડ હરિયાપ્તા પોંડિચેરી મધ્યપ્રદેશ રાજયમાં પણ વિચરતિ વિમુકત જોતિઓને અલગથી અનામત આપવામાં આવેલ છે તો અન્ય રાજયોની જેમ ગુજરાત સરકારશ્રીએ પણ ઉપરોકત કમીશનોની ભલામણો ધ્યાનમાં લઈને વિચરતિ વિમુક્ત જાતિઓને અલગથી ૧૦% અનામત આપવી જરૂરી છે આપ સાહેબશ્રીને અમારી નમ્ર રજુઆત છે કે આપ સાહેબશ્રીના માધ્યમથી ઉપરોકત કિંમશનોની ભલામોનું સત્વરે અમલીકરણ થાય તથા ઝડપથી સમુદાયને ન્યાય મળે તેવી રજુઆત છે 

Related Posts