રાષ્ટ્રીય

ધનંજય સિંહ ની પત્ની ની ટિકિટ છેલ્લા સમયે કપાઈ બીએસપી દ્વારા યુપી ના જૌનપુર લોકસભા સીટ પરથી શ્યામ સિંહ યાદવ ને ઉમેદવાર જાહેર કર્યા

બહુજન સમાજ પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર બદલ્યો છે, જૌનપુર લોકસભા સીટ પરથી અગાઉ ધનંજય સિંહની પત્ની શ્રીકલા રેડ્ડીને આપવામાં આવી હતી ટિકિટ, પણ હવે બીએસપી એ ફરી એકવાર શ્યામ સિંહ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ટિકિટ આપી છે.

બી એસ પી દ્વારા જૌનપુરથી શ્રીકલાનાં નામની ઘોષણા બાદથી જૌનપુરના ચૂંટણી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ કૃપાશંકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેની તરફથી બાબુ સિંહ કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે. શ્રીકલા ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ એવું માનવામાં આવતું હતું કે માત્ર ભાજપ અને બસપા વચ્ચે જ મુકાબલો થશે. પરંતુ શ્યામ સિંહ યાદવની મેદાનમાં એન્ટ્રી થતાં હવે મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે.

ફરી એક વખત બી એસ પી દ્વારા જૌનપુરથી સાંસદ શ્યામ સિંહ યાદવ પર વિશ્વાસ મૂકી તેમણે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બહુજન સમાજ પાર્ટીએ તેમને ફરીથી જૌનપુરથી ઉમેદવાર બનાવ્યા છે. શ્યામ સિંહ યાદવનું કહેવું છે કે રાત્રે ૧ વાગ્યે તેમને મ્જીઁ સુપ્રીમો માયાવતીનો ફોન આવ્યો અને કહ્યું કે તેમને જૌનપુરથી ફરીથી મ્જીઁ ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે અમે હંમેશા પાર્ટી સાથે ઉભા છીએ. આ ર્નિણયથી ખૂબ જ ખુશ છે. હવે અમે હંમેશા જૌનપુરના લોકોની સાથે ઉભા રહીશું. ઉપરાંત, તેમને વધુમાં કહ્યું હતું કે મારું પ્રતીક બપોરે ૧ વાગ્યે આવશે. ત્યાર બાદ હું નોમિનેશન ફાઈલ કરીશ.

Follow Me:

Related Posts