ધારી તાલુકાના ચલાલા ગામે પણ આંખનો કન્ઝકટિવાઈટીસ તરીકે ઓળખાતો લોકો તેને વ્યંગમાં અંખિયા મિલાકે રોગ પણ કહે છે તેણે ચલાલા ગામે પણ દેખા દીધાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના લઘુબંધુ મુકેશભાઈ પાંધીનો સમગ્ર પરિવાર આ અંખિયા મિલાકે રોગની ઝપેટમાં આવી ગયો છે. આમ ગણીએ તો આ કન્ઝકટિવાટીસ નામનો આંખનો રોગ ખૂબ ચેપી જણાય છે. આ રોગથી બચવા માટે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ચશ્મા પહેરીને નીકળવું અને આવા રોગની ઝપેટમાં આવેલ સદસ્યોનાં રૂમાલ ટુવાલ અલગ રાખવા. ડોક્ટરની ખાસ કરીને તો આંખના તબીબની સલાહ લેવી જો કે ચલાલા જેવા નાના શહેરોમાં આંખના તબીબ કદાચ ઉપલબ્ધ ન હોય તો શહેરમાં મેડિકલ પ્રેક્ટિસ કરતાં તબીબનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન અને સારવાર કરાવવી હિતાવહ છે. જો કે આ રોગને લપળો પણ કહે છે એટલે સાવધાની એ જ આ રોગથી બચવાની ચાવી ગણાય. આ દર્દમાં દર્દીની આંખ લાલચોળ થઈ જાય છે. આંખમાંથી પાણી આવે છે અને આંખમાં ખટકા પણ આવે છે. તબીબી સલાહ મુજબ આંખનાં ટીપાંનો ઉપયોગ કરી આંખને આ સમય દરમિયાન ઓછા પ્રકાશમાં રાખવી હિતાવહ છે ખાસકરીને શાળાએ જતાં બાળકોએ આ સંદર્ભે સાવચેતી રાખવી જરૂરી છે.
સમગ્ર પરિવાર જ્યારે આવાં ચેપી દર્દનાં સકંજામાં આવી જાય ત્યારે કોણ કોનું કરે એ યક્ષપ્રશ્ન?
ખાસકરીને ચોમાસાના વાતાવરણમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ પણ વધી શકે છે. આરોગ્ય વિભાગ જેટલી સતર્કતા રાખે અને લોકજાગૃતિ માટે પ્રયાસ કરે તો ઘણાં દર્દોથી બચી શકાય છે
Recent Comments