અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડ ખોડીયાર ચોક પાસે ગટરના નાળામાં એક નંદી ફસાઈ ગયો

સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડ ખોડીયાર ચોક પાસે ગટરના નાળામાં એક નંદી ફસાઈ ગયો હતો સ્થળ ઉપર ત્યાં જયેશભાઈ કાણકીયા હતા તેને તાત્કાલિક સૂઝબુઝથી અન્ય લોકોને સાથે રાખી રસ્સીથી એ નંદીને નાળામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો અને જાણે કે નંદીની આંખમાંથી આંસુને ધારા વહેવા લાગી અને કૃતજ્ઞતાના ભાવથી આભાર માનવા લાગ્યો આ કાર્યમાં પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ જયેશભાઈ કાણકીયા, જયદીપભાઇ ઝાલા ચંદ્રેશભાઇ તથા તુષારભાઈ જાદવ (દેવ)ની મદદથી નંદીનું રેસ્ક્યું થયું.

આ ઘટના સમયે ત્યાંના સ્થાનિક લોકોનો કહેવું છે કે ઘણા સમયથી નગરપાલિકાવાળા આ નાળા ઉપર જાળી કે ઉપર પથ્થર મુકેલ નથી જેથી અનેક વાહનો રાહદારીઓ તથા માલઢોર નાળામાં ફસાઈ જાય છે. મોટી જાન હાની ન થાય તો તે માટે નગરપાલિકાના સત્તાધિશોએ ત્યાં તાત્કાલિક જાળી મુકાવી જોઈએ તેવી ચર્ચા થતી હતી.

ચોમાસાનો સમય હોય વરસાદ પડે એટલે પાણી વહે એ પણ સ્વાભાવિક છે પરંતુ થોડી સતર્કતા લોકોને હાડમારીથી બચાવી પણ શકે છે.

Related Posts