ગુજરાતના ભરૂચમાં મોડી રાત્રે ધાર્મિક ધ્વજને લઈને બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જાે કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક ધ્વજ લહેરાવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જાે કે હાલ સ્થિતિ કાબુમાં છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગરમાં બે કોમ વચ્ચે બબાલ બાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે ધાર્મિક ઝંડા લગાવાને કારણે મારામારી થઇ હતી. જેના કારણે મારામારીમાં ઘણા લોકોને ઇજા થઇ હતી.જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાના ઝ્રઝ્ર્ફ પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધી શોધીને ડીટેઇન કર્યા છે.
ધાર્મિક ઝંડા લગાવાની બાબતમાં ભરૂચમાં થતાં પથ્થરમારા કારણે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

Recent Comments