ધાર ગામે રામદેવપીર આશ્રમ ખાતે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને સવરા મંડપ ત્રિવિધ મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.- મહાયજ્ઞ અને દરરોજ રાત્રે સંતવાણી કાર્યક્રમ.
સાવરકુંડલા તાલુકા ના ધાર ગામે આવેલ રામદેવપીર આશ્રમ ખાતે પ.પૂ. કાનદાસબાપુ ના ભંડારા નિમિતે આગામી તારીખ.- ૨૫/૦૪ થી ૦૩/૦૫ સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા, પૂ.કાનદાસ બાપુ ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને સવરા મંડપ ત્રિવિધ ભાવાતીત મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આ તકે પોથીયાત્રા, દીપ પ્રાગટય, કપિલ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, વામન પ્રાગટય, શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ કથા વગેરે ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે યજ્ઞ ના આચાર્ય પદે ભૂપતદાદા મહેતા ધાર વાળા બિરાજશે તથા સંતો ના સામૈયા, સવરા મંડપ અને પ.પૂ.કાનદાસ બાપુ નો ભંડારો યોજાશે તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments