ગુજરાત

ધોળાવીરામાં માનસ રામકથા હડપીય સંસ્કૃતિને અર્પણ કરીને સૌને વંદન કરીને બાપુએ લીધી વિદાય

વૈશ્વિક ધરોહર ધોળાવીરાની પાંચ હજાર વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિને યાદ કરી મોરારી બાપુએ માનસ રામકથા આ મહાન સંસ્કૃતિના પૂર્વજોને અર્પણ કરી હતી . બાપુએ કહ્યું કે ગણિકા સમક્ષ જ્યારે અયોધ્યામાં રામકથા કરી ત્યારે સમાજમાંથી વિરોધના સૂર ઉઠ્યા હતા અને અહીં મેં ધોળાવીરામાં કથામાં ગણિકાઓ દ્વારા આરતી પૂજન કરાવ્યું છે . કથા જેવા છો તેવા સ્વીકારવા માટે છે તિરસ્કાર માટે નહીં , હડપ્પીય સાઈડને કૃષ્ણકાળની સમકાલીન ગણાવી વંદન કર્યા હતા . નવ દિવસ ચાલેલી રામકથામાં એક લાખથી વધુ ભાવિકોએ કથા શ્રવણ કર્યું હતું . પ્રવીણભાઈ તન્નાએ કલ્યાણપર સહિત સમગ્ર ખડીરના યુવાનોને કથામાં સેવા આપવા બદલ આભાર માન્યો હતો . મોરારીબાપુએ છેલ્લા બે વર્ષ પછી આટલા બહોળા સમુદાયને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો પ્રખર રામાયણી બાપુની અસ્ખલિત રામમય વાણી સૌને સ્પર્શી ગઈ હતી . બાપુએ રસોડામાં સેવા આપતા યુવાનોને મળી પ્રસાદ ગ્રહણ કરી ખડીર વાસીઓને બિરદાવ્યા હતા . શ્રોતાઓને કથા સાંભળવા અને રામનામ લેવા ઉપદેશ્યા હતા . રાક્ષસ કુળમાં ભક્ત પ્રહલાદે લોખંડના થાંભલામાંથી હરિને પ્રગટાવ્યા તો રામચંદ્રે શીલા બનેલી અહલ્યાને પુનઃ માનવ અવતાર આપ્યો હોવાની વાત સૌને સ્પર્શી હતી . હેલીપેડ પરથી હેલિકોપ્ટરમાં ચડતા બાપુને વિદાય આપવા શ્રદ્ધાળુઓના ટોળેટોળા ઉમટયા હતા .

Related Posts