ગુજરાત

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાજીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીમાં પાંચમા દિવસે નવદુર્ગાના “સ્કંદમાતા” સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્કંદ માતાને ચાર હાથ છે, બે હાથમાં માતાજી કમળ ધારણ કર્યું છે, અને એક હાથમાં પોતાના શિશુ કાર્તિકેય અથવા મૃગન દેવને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધિત્વ કરે છે. આ રૂપમાં માતાના શિશુ કાર્તિકેયને છ મુખ છે.
માનવામાં આવે છે કે સ્કંદમાતાની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ-સમૃદ્ધીની સાથે-સાથે સંતાન પ્રાપ્તિ થાય છે. જાણો નવરાત્રીના પાંચમા દિવસે કેવીરીતે કરશો સ્કંદમાતાની પૂજા. આ સાથે જાણો શુભ મુહૂર્ત, ભોગ અને મંત્ર.
એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન આસ્થા સાથે સ્કંદમાતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે.
..ધ્રુમિત ઠક્કર (એજન્સી)

Related Posts