ગુજરાત રાજયના પ્રવાસન વિભાગના સચિવ આલોક પાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા હતા.જે સમય દરમિયાન તેમણે નવસારીમાં નવા વિસામાંનું લોકાર્પણ કર્યું હતું.તેઓએ આ સાથે સૈફી વીલા અને સત્યાગ્રહ સ્મારકની પણ મુલાકાત લીધી હતી. દાંડી સ્મારક નજીક પ્રવાસીઓ માટે સુવિધા કેન્દ્રનું લોકાર્પણ પણ કર્યું હતું.આ સમયે સચિવ આલોકએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી અહીં આવ્યાં હતા જેનો ઇતિહાસ સૌને જાણે છે. ટુરિઝમ ડિપાર્ટમેન તરફથી સત્યાગ્રહ માટેનું સ્મારક બનાવવામાં આવ્યું છે,ગાંધીજીએ આંદોલન કર્યું હતુ એની ઝાંખી સાથે પ્રવાસીઓ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાયું.
જે લોકો મુલાકાત માટે આવે છે આ સ્થળની તો પાર્કિંગની સુવિધા મળે અને લોકોને નવા સાહિત્ય મળી રહે તે માટે સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. સચિવ આલોક પાલે લોકોને મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો હતો.વિભાગના સચિવ આલોક પાલે, જેમણે નવી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમણે કહ્યું કે આ તે સ્થાન હતું જ્યાં મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાની લડાઈ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું યોગદાન સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને તેથી આ એક પ્રતિષ્ઠિત સ્થાન હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાંડીના વિકાસ માટે સરકાર ચોક્કસ યોજના ઘડી કાઢશે, જેથી તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ રાજ્યના ટોચના પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક બને.
Recent Comments