અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટિંગ યાર્ડ ખાતે કુળશ વહીવટી કાર્યકર્તાઓ દ્વારા તમામ સુવિધા સભર માર્કેટયાર્ડ બનાવવામાં આવેલ છે. જેમાં ખેડૂતો, વેપારીઓ, મજુરો સરવેને ધ્યાને રાખી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો લાભ ખેડૂતો, વેપારીઓ સરવેને મળી રહયો છે. માર્કેટ યાર્ડ માં સિઝનનાં નવા મસાલાની આવકો શરૂ થઈ ગઈ છે.
આજરોજ તા.ર૮/૦ર/ર૦ર૩ ને મંગળવારનાં નવા માર્કેટ યાર્ડ ખાતે ૩૦ હજાર મણ જેટલા ધાણા–ધાણીની બમ્પર આવક નોંધાઈ હતી. જેનો ર૦ કિલોનાં બજારભાવ રૂા.૧૦૦૦/– થી ર૩ર૦/– સુધી રહેવા પામેલ અને સરેરાશ ભાવ રૂા.૧૩૬પ/– જેટલો રહેલ હતો. માર્કેટ યાર્ડનાં ખરીદનાર વેપારીઓ દ્વારા આ સમગ્ર
ધાણા–ધાણીની બપોર સુધીમાં ખરીદી કરી લેવામાં આવી હતી. અને ખેડૂતોને તેઓનાં માલનાં ચુકવણા પણ કરી આપવામાં આવેલ હતા. વધુમાં માર્કેટ યાર્ડ, અમરેલીનાં વેપારીઓ દ્વારા જે કોઈ જણસીની ખરીદી કરવામાં આવે તેની રોજે રોજ સત્વરે તોલાઈ પણ થઈ જાય છે. જેની કાળજી માર્કેટ યાર્ડ દ્વારા લેવામાં આવે છે.
જેથી ખેડૂતોને મુશ્કેલી ન થાય. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્યુ હતુ.
Recent Comments