અમરેલી

નાગરિક બેન્‍કનાં મેનેજમેન્‍ટને લઈને ઐતિહાસિક નિર્ણય

પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાએ પરિવારવાદને ફગાવી દઈ પ્રેરણાદાયી કાર્ય કર્યુ

નાગરિક બેન્‍કનાં મેનેજમેન્‍ટને લઈને ઐતિહાસિક નિર્ણય

બેન્‍કનાં તમામડાયરેકટરને બેન્‍ક તરફથી કોઈપણ પ્રકારની સુવિધા પણ આપવામાં આવતી નથી

સહકારી જગતમાં પરિવારવાદને દુષણરૂપ માનીને અન્‍ય વ્‍યકિતઓને જવાબદારી સોંપી

અમરેલી નાગરિક બેન્‍કના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમ.ડી. માટે આજે હોદ્દારોની વરણી કરવામાં આવી હતી, જેમાં બેન્‍કના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા પોતે હોદ્‌ાથી તો દુર રહયા પરંતુ, તેમના એકપણ પરિવારજનને હોદ્‌ો ન આપીને સમગ્ર રાજયના સહકારી ક્ષેત્રને પ્રેરણા      આપી છે.

સામાન્‍ય રીતે સહકારી જગતમાં પરિવારવાદ જોવા મળતો હોય છે. બેન્‍કના કર્તાહર્તા પોતે તેમજ તેમના પરિવારજનોને પણ હોદ્‌ાની લ્‍હાણી કરતા હોય છે અને સહકારી સંસ્‍થાના નાણાથી કાર, પ્રવાસ સહિતની સુવિધાઓ ભોગવતા હોય છે.

તેવા સમયે બેન્‍કના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાએ તેમના પરિવારજનોને હોદ્‌ાથી દુર રાખ્‍યાની સાથે તેઓએ નાગરિકોના પરસેવાના પૈસાનો ઉપયોગ કરકસરથી કરવાનો અનુરોધ નવા હોદે્‌દારોને કર્યો છે. બેન્‍કના કોઇપણ ડાયરેકટરને પગાર, ભથ્‍થા, કાર કે મોબાઇલ જેવી સુવિધા આપવામાં આવતી નથી અને નાગરિકોએ મુકેલ વિકાસને ખરાઅર્થમાં ચરિતાર્થ કરવામાં આવી રહયોછે.

આમ, અમરેલી નાગરિક બેન્‍કના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાના નિર્ણયની ચારે દિશામાંથી પરિવાદવાદ દુર થવો જોઇએ અને નાગરિકના પરસેવાના રૂપિયાનો ઉપયોગ કસકસરથી થવા જોઇએ અને તે માટે નાગરિક બેન્‍કના મેનેજમેન્‍ટ પાસેથી સૌ એ પ્રેરણા લેવી જોઇએ તેવું સૌ કોઇ ઇચ્‍છી રહયું છે. અન્‍ય સંસ્‍થાઓમાં દોમ દોમ સાયબી મળતી હોય છે ત્‍યારે

અમરેલી નાગરિક બેન્‍કના ચેરમેન, વાઇસ ચેરમેનને કોઇ સુવિધા મળતી નથી

કાર, મોબાઇલ, ભાડા-ભથ્‍થા કે પગાર પણ મળતો નથી

અમરેલી જિલ્‍લામાં સહકારી ક્ષેત્રે ટોચની ગણાતી અમરેલી નાગરિક બેન્‍કના ચેરમેન સહિતના હોદે્‌દારોને કાર, ડ્રાઇવર, મોબાઇલ ખર્ચ, પગાર કે અન્‍ય કોઇ ભાડા-ભથ્‍થા મળતા નથી એટલે કોઇ ડાયરેકટર કે વાઇસ ચેરમેન પદ માટે ધમપછાડા કરતા નથી.

અન્‍ય સહકારી સંસ્‍થાઓમાં કાર, મોબાઇલ ખર્ચ, ભાડા-ભથ્‍થા અને તગડો પગાર મળતો હોવાથી ડાયરેકટર વચ્‍ચે હોદ્‌ો મેળવવા રસાકસી જામતી હોય છે. અમરેલી નાગરિક બેન્‍ક બિનજરૂરી ખર્ચ કરતી ન હોવાથી તે આજે સર્વોચ્‍ચ કક્ષાની બેન્‍ક માનવામાં આવી રહી છે.

Related Posts