અમરેલી

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ

અમરેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા” નું આહ્વાન કરનાર આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક મહાન રાષ્ટ્ર ભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ પ્રસંગે માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપના વિપુલ ભટ્ટી, દિપક મહેતા, મેહુલ વાઝા તથા અમરેલી નગરપાલિકાના સદસ્ય ચિરાગ ત્રિવેદીએ પુષ્પમાળા પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી. અમર ક્રાંતિકારી નેતાજી સુભાષબાબુનું આપણી આઝાદી માં અમૂલ્ય યોગદાન રહેલું છે તેમ સંસ્થાના ધર્મેન્દ્ર લલાડિયાએ જણાવ્યું છે.

Related Posts